Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:52 - કોલી નવો કરાર

52 ઈસુએ એને કીધુ કે, “હું તને બસાવું છું કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ હાટુ તુ તારા ઘરે જા.” તરત ઈ જોવા લાગ્યો અને ઈ બીજા લોકોની ભેગો થય ગયો જેઓ ઈસુની વાહે હાલતા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:52
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.


તઈ લોકો એક આંધળા અને મૂંગા માણસ જેને ભુત વળગેલું હતું એને ઈસુની પાહે લીયાવ્યા, અને ઈસુએ એને હાજો કરયો; એટલે જે આંધળો અને જે મૂંગો હતો, ઈ બોલતો થયો અને જોવા લાગ્યો.


તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.


આંધળાઓ અને લંગડાઓ એની પાહે મંદિરમાં આવ્યા, અને ઈસુએ તેઓને હાજા કરયા.


તઈ ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું એને હાજો કરવા ઈચ્છું છું,” અને તરત જ ઈ કોઢથી શુદ્ધ થયો.


તઈ ઈસુએ પાછા ફરીને એને જોયને કીધુ કે, દીકરી, હિંમત રાખ: તું હાજી થય કેમ કે, “તે વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકું છું” અને ઈ બાય તરત જ હાજી થય ગય.


તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું.


ઈસુએ એને કીધુ કે, “દીકરી મારી ઉપર વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકુ છું, એટલે તુ, શાંતિથી જા કેમ કે, તુ તારી બીમારીથી પુરી રીતે હાજી થય છો.”


પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.


પણ ઈસુએ ઈ બાયને કીધું કે, “તે મારી ઉપર વિશ્વાસ કરયો છે. ઈ હાટુ પરમેશ્વરે તને બસાવી છે, હવે તુ જા પરમેશ્વર તને શાંતિ આપશે.”


પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”


જગતને બનાવવાની શરુઆત આવું કોય દિવસ હાંભળવામાં નથી આવ્યું કે, કોયે પણ જનમથી આંધળા માણસને જોતો કરયો હોય.


તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ