51 આની ઉપર ઈસુએ એને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” આંધળાએ એને કીધુ કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.”
બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે.
પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.
ઈ હાટુ તમે તેઓની જેવા નો થાતા. કેમ કે, તમારો બાપ માગવાથી પેલા જ જાણે છે કે, તમારે હેની જરૂર છે.
તમારે જે જોયી ઈ પરમેશ્વર પાહેથી માગો, અને ઈ તમને આપશે, ગોતશો તો તમને જડશે, અને ખખડાવો તો તમારી હાટુ ઉઘાડવામાં આયશે.
ઈસુએ તેઓને કીધુ કે, “તમે શું ઈચ્છો છો કે હું તમારી હાટુ કરું?”
પછી આંધળા માણસે પોતાના બારના પેરેલા લુગડા નાખીને ઉતાવળો ઉઠયો, અને ઈસુની પાહે આવ્યો.
ઈસુએ એને કીધું કે, “મરિયમ!” એણે ઈ બાજુ ફરી એને હિબ્રૂ ભાષામાં કીધું કે “રાબ્બી એટલે ગુરુ”
ઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાનો હાથ પક્ડીને જુદો લય જયને પુછયું કે, “તુ મને શું કેવા માગે છે?”
કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.