ન્યા જે માણસો આગળ ટોળાને દોરતા હતાં, તેઓએ આંધળા માણસને ધમકાવીને એમ કીધુ કે, શાંતિ રાખ પણ ઈ આંધળો માણસ વધારે રાડ પાડવા મંડ્યો, “હે, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર.”
અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;