Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:22 - કોલી નવો કરાર

22 જઈ માણસે ઈસુને આ કેતા હાંભળ્યું તો ઈ નિરાશ થયને વયો ગયો કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:22
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


પણ ઈ જુવાન તે વાત હાંભળીને નિરાશ થયને હાલ્યો ગયો, કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.


જઈ ઈસુને દગાથી પકડાવનાર યહુદાને ખબર પડી કે, એને મરણ હાટુ અપરાધી ઠરાવવામાં આવ્યો છે, તઈ ઈ બોવ પસ્તાણો અને સાંદીના ત્રીહ સિક્કા મુખ્ય યાજકો અને વડીલોની પાહે લીયાવીને કીધું કે,


ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”


ઈસુએ સ્યારેય બાજુ જોયને પોતાના ચેલાને કીધુ કે, “રૂપીયાવાળા લોકોને, પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું ઘણુય અઘરું છે.”


કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.


તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી નકારવાનું ઈચ્છતો નોતો.


અને ઈસુએ તેઓએ કીધું કે, “સાવધાન રયો, અને બધાય પરકારની લાલસ પણાથી પોતાની જાતને બસાવી રાખો; કારણ કે, કોયનું જીવન એની મૂડીના વધારાથી નથી હોતું.”


પણ જઈ એણે આ વાત હાંભળી, તઈ ઈ માણસ ઘણોય નિરાશ થયો કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.


કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.


કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ