3 વગડામાં કોય પોકારનાર લોકોને બોલાવી રયું છે, જે એનુ હાંભળે છે, અને કેય છે કે, “તમારી પોતાની જાતને પરભુનો આવકાર કરવા હાટુ બધીય રીતે તૈયારી કરી લેય, જેની હાટુ ઈ આવવાનો છે.”
યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે, “વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને એનો મારગ પાધરો કરો.”
યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”