ઈસુએ ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “આ લોકો ઉપર મને દયા આવે છે; કેમ કે, તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, અને આ લોકોને ભૂખા વિદાય કરવાને હું નથી માંગતો, નય તો મારગમાં થાકીને બેભાન થય જાહે.”
જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.