તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
એક દિવસ એક માણસ ઈસુ પાહે આવ્યો જે બોલી હક્તો નોતો કેમ કે, મેલી આત્માએ એને કાબુમાં કરી લીધો હતો. ઈસુએ મેલી આત્માને બારે કાઢી પછી ઈ માણસ બોલવા લાગ્યો, અને ઈ જોયને ટોળાના લોકો નવાય પામ્યા.