21 કેમ કે, ઈ પોતાના મનમાં કેતી હતી કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.”
અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય; અને જેટલા અડયા ઈ બધાય હાજા થયા.
ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા.
બધાય લોકો ઈસુને અડવા હાટુ કરતાં હતાં કેમ કે, એનામાંથી પરાક્રમ નીકળતુ અને બધાય હાજા થાતા હતા.
ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી.