Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:2 - કોલી નવો કરાર

2 અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:2
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”


તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.


જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો.


તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.


હવે જઈ હાંજ પડી તઈ લોકો ઘણાય મેલી આત્મા વળગેલાઓને ઈસુની પાહે લાવ્યા અને એણે શબ્દથી ઈ આત્માઓને બારે કાઢી અને બધાયને હાજા કરયા જે માંદા હતાં.


તઈ ઈસુએ પાછા ફરીને એને જોયને કીધુ કે, દીકરી, હિંમત રાખ: તું હાજી થય કેમ કે, “તે વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકું છું” અને ઈ બાય તરત જ હાજી થય ગય.


વધારે હેલું શું છે? એમ કેવું કે, તારા પાપ માફ થયા છે કે, એમ કેવું કે, ઉભો થયને હાલતો થા.


પણ મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. તઈ પછી ઈસુએ લકવાવાળાને કીધું કે, “ઉઠ, તારી પથારી ઉપાડીને તારી ઘરે વયોજા.”


હાજ વેળાએ જઈ યહુદી લોકોનો વિશ્રામવાર પુરો થયો તઈ ઈ નગરના ઘણાય બધા લોકો જેઓ માંદા હતાં અને જેઓની અંદર મેલી આત્માઓ હતી તેઓને ઈસુની પાહે લાવ્યા.


જઈ ઈસુએ એને હાંભળ્યું, તો એણે હાલવાનું બંધ કરી દીધુ અને આજુ બાજુના લોકોથી એને લીયાવવાનું કીધુ કે, અને લોકોએ ઈ આંધળા માણસને બોલાવીને એને કીધુ કે, “ધીરજ રાખ, ઉઠ, ઈ તને બોલવે છે.”


ઈસુએ એને કીધુ કે, “દીકરી મારી ઉપર વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકુ છું, એટલે તુ, શાંતિથી જા કેમ કે, તુ તારી બીમારીથી પુરી રીતે હાજી થય છો.”


કેમ કે, બધાય એને જોયને બીય ગયા હતા. પણ તરત ઈસુએ તેઓની હારે વાત કરીને કીધુ કે, “હિંમત રાખો અને બીવોમાં કેમ કે, ઈ તો હું છું”


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.


તઈ ઈસુએ તેઓને કીધું કે, “જુવાનો, શું તમારી પાહે ખાવા હાટુ કાય છે?” તેઓએ એને જવાબ દીધો કે, “નય.”


ઈ પાઉલને પરચાર કરતાં હાંભળતો હતો, પાઉલે એને એક નજરથી જોયો કે, એને હાજો થાવાનો વિશ્વાસ છે.


ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી.


ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”


અને ખાલી ઈ જ નય, પણ હવે તો આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરથી આપડો મેળ થય ગયો છે, એટલે આપડે પરમેશ્વરમાં રાજી છયી.


પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ