Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:18 - કોલી નવો કરાર

18 જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:18
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

હોડીમાં જે લોકો હતા, તેઓએ ઈસુને પરણામ કરીને કીધુ કે, “તું એકમાત્ર પરમેશ્વરનો દીકરો છે.”


પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.”


જઈ તેઓ લોકોની ગડદી પાહે આવ્યા, તઈ એક માણસે એની પાહે આવીને એની આગળ ગોઠણીયા ટેકવીને કીધુ કે,


તઈ ઝબદીના દીકરાની માંએ પોતાના દીકરાઓની હારે ઈસુની પાહે આવી અને પગે લાગીને, એની પાહે કાક માંગવા લાગી.


અને તેઓએ એને જોયને એનું ભજન કરયુ, પણ કેટલાકે શંકા કરી કે, ઈ ફરી જીવતો થયો છે.


જોવ, એક કોઢિયો એની પાહે આવ્યો, અને પગે લાગીને કીધુ કે, “હે પરભુ હું જાણું છું કે, જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”


તઈ તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “ઓ પરભુ, અમને બસાવ, અમે ડુબવાની અણી ઉપર છયી.”


પાછો નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતા નથી; જો કોય ભરે તો સામડાની થેલી ફાટી જાય છે અને દ્રાક્ષારસ ઢોળાય જાય છે, અને સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે, એથી નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં ભરવામાં આવે છે, જેથી બેયનો બસાવ થાય છે.”


તઈ ઈસુ ઉઠીને પોતાના ચેલાઓની હારે ગયો.


તઈ ઈસુએ કીધુ કે, “આઘા જાવ કારણ કે, છોકરી મરી નથી, પણ હુઈ ગય છે.” અને ઈ વાત ઉપર બધાય એની ઠેકડી કરવા લાગ્યા.


પણ વિશ્રામવારે ઈસુએ એને હાજી કરી, જેથી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારે ગુસ્સે થયને લોકોને કીધું કે, “છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવુ જોયી, ઈ હાટુ ઈ દિવસોમાં આવીને હાજા થાવુ જોયી, પણ યહુદી વિશ્રામવારે નય.”


એક અધિકારીએ ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”


અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો.


ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.


જઈ મરિયમ જ્યાં ઈસુ હતો ન્યા પાહે આવીને એને જોયને જ ઈ એના પગમાં પડી ગય અને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત તો મારો ભાઈ મરત નય.”


નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”


પબ્લિયસનો બાપ બોવ તેજ તાવ અને મરડાના રોગમાં પડો હતો, ઈ હાટુ પાઉલે એની પાહે રૂમમાં જયને પ્રાર્થના કરી અને એની ઉપર હાથ રાખીને એને હાજો કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ