Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:15 - કોલી નવો કરાર

15 ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:15
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ યોહાનના ચેલાઓએ ઈસુની પાહે આવીને કીધું કે, “શું કારણ છે કે, અમે અને ફરોશી ટોળાના લોકો ઘણીય વાર ઉપવાસ કરી છયી, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”


“લોકો આપડા જુના લુગડાને નવા થીગડાથી હાંધતું નથી જો હાંધે તો, જઈ ઈ ધોવામાં આવે તો નવા લુગડાનો ટુકડો ખેસાયને ભેગો થય જાહે અને જુના લુગડાને હજી વધારે ફાડી નાખશે, તઈ જુના લુગડાનું ફાકુ બોવ મોટુ થય જાહે.


ઈસુએ તેઓને કીધુ કે, મારા ચેલાઓ અને હું વરરાજા અને એનાં મિત્રોની જેવા છયી, જ્યાં હુધી તેઓ લગનમાં છે ન્યા હુધી શું એનાં મિત્રો ઉપવાસ કરી હકે છે? નય, તેઓ ઉપવાસ નથી કરી હકતા.


પણ ઈ દિવસ આયશે જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે ઈ દિવસે તેઓ બધાય ઉપવાસ કરશે.


પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “એવો વખત આવે છે, તઈ માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છો તો પણ જોય હકશો નય.”


ઈસુએ તેઓને કીધું કે, “વરરાજો જાનૈયાની હારે છે, ન્યા હુધી તેઓની પાહે શું તમે ઉપવાસ કરાવી હકો છો?


પણ એવા દિવસો આયશે જઈ વરરાજો તેઓની પાહેથી લય લેવાહે, તઈ ઈ દિવસે ઈ બધાય ઉપવાસ કરશે.”


પણ તમારુ મન ઈ હાટુ હોગથી ભરાય ગયુ કે, મે ઈ વાત તમને કીધી.


જેને કન્યા છે એને જ વર છે; પણ વરનો જે મિત્ર ઉભો રયને એનુ હાંભળે છે, ઈ વરના શબ્દોથી બોવ આનંદ પામે છે; ઈ હાટુ મારો ઈ આનંદ પુરેપુરા થયો છે.


અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.


મેં ઘણીયવાર રાતના ઉજાગરા કરીને, ખાધા વગર ભૂખ્યા અને તરસા રયને, શિયાળામાં અને થોડાક લુગડાંમાં બોવ દુખ સહન કરયુ અને બોવ જ મુશ્કેલીઓ સહન કરી.


તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”


મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ