Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:46 - કોલી નવો કરાર

46 કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:46
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.


પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”


બધાય વેરો ઉઘરાવવાવાળા જેઓને લોકો પાપી કેય છે, ઈ લોકો ઈસુની પાહે આવતાં હતાં, જેથી ઈ બધાય એનુ હાંભળે.


જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.


હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.


બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”


ન્યા યરીખો શહેરમાં જાખ્ખી નામનો માણસ રેતો હતો, ઈ ઘણોય માલદાર અને વેરો ઉઘરાવનારાનો મુખી હતો.


જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.


થોડાક દિવસો પછી ઈસુ અને એના ચેલાઓ લેવીના ઘરે ખાવાનું ખાવા હાટુ બેઠા હતા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો જેઓને પાપીઓ કેવામાં આવતાં હતાં, તેઓ હોતન ન્યા ચેલાઓ હારે ખાવાનું ખાવા હાટુ બેઠા હતાં, કેમ કે, એવા ઘણાય હતા જે ઈસુની હારે હાલતા હતાં.


યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં અને દાણીઓ અને જેઓને લોકો પાપીઓ કેતા તેઓની હારે ખાતો જોયને એના ચેલાઓને કીધુ કે, “ઈસુ તો દાણીઓ અને પાપીઓની હારે ખાય છે.”


થોડોક વેરો ઉઘરાવનારા પણ જળદીક્ષા પામવા હારું આવ્યા અને એણે પુછું કે, “ગુરુ અમારે શું કરવુ જોયી?”


લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું.


તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”


જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ.


માણસનો દીકરો ખાતો-પીતો આવો છે, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ