42 જે કોય તમારી પાહે કાય માગે તો, એને ના પાડવી નય, અને જે તમારી પાહે કાય ઉછીનું લેવા ઈચ્છે છે તો એને ના પાડવી નય.
જે કોય પરાણેથી એને એક ગામ જેટલો આઘો લય જાય, એની હારે બે ગામ જેટલો આઘો જા.
જેથી તમારી થાળીમાં વાટકામાં જે છે ઈ જરૂર છે ઈ એને આપો પછી તમે પુરેપુરા શુદ્ધ થાહો.
પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાય; જો તરસો હોય, તો એને પાણી પિવરાય; કેમ કે, આવું કરવાથી તુ એના માથા ઉપર હળગતા દેતવાનો ઢગલો કરય.
ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.
કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.
પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.