Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:37 - કોલી નવો કરાર

37 પણ તમારુ બોલવાનું હાની હા અને નાની ના હોય કેમ કે, ઈ કરતાં વધુ જે કાય પણ છે, ઈ શેતાનથી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:37
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે.


ખેતર જગતના લોકો છે, હારા બી પરમેશ્વરનાં રાજ્યના લોકો છે, પણ લુણીના બી શેતાનના લોકો છે.


કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે.


તું તારા માથાના પણ હમ ખાવા નય, કેમ કે તું તારો એક પણ વાળ ધોળો કા કાળો કરી હકતો નથી.


અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


તેઓને આ જગતમાંથી છેટા લય જાવાની પ્રાર્થના હું તમને કરતો નથી. પણ તેઓને શેતાનથી બસાવી રાખવાનું હું તમને કવ છું


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


આ કારણે ખોટુ બોલવાનું છોડીને, દરેક પોતાના સાથી વિશ્વાસુથી હાસુ બોલે કેમ કે, આપડે બધાય એક જ દેહના અંગ છયી.


આયા એક બીજી વાત છે. જેમ એક સિપાય ઢાલ લયને પોતાની ઉપર આવનાર વેરીઓના તીરથી પોતાની જાતને બસાવે છે, એવી જ રીતે મસીહ ઉપર મજબુત વિશ્વાસ રાખો કે, મસીહ તમને શેતાન દ્વારા નુકશાન પુગાડવાથી બસાવીને રાખે.


એકબીજાથી ખોટુંનો બોલો કેમ કે તમે પોતાના જુના પાપીલો સ્વભાવ અને બધાય ખરાબ કામો છોડી દીધા છે.


તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.


પણ તમે પરભુ ઉપર પુરી રીતે ભરોસો રાખી હકો છો, ઈ તમને આત્મિક રીતેથી મજબુત કરશે, અને શેતાનથી બસાવી રાખશે.


પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો.


હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો. જે શરુઆત છે, તમે એને ઓળખો છો. હે જુવાનો, હું તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે શેતાન ઉપર જીત મેળવી છે, હે બાળકો, હું ઈ હાટુ તમને લખી રયો છું કે, તમે પરમેશ્વર બાપને ઓળખી ગયા છો.


અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.


આપડે જાણી છયી કે, જે કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ, એને બસાવી રાખે છે, અને શેતાન એને અડી નથી હકતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ