જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે અધિકારીની નજીક જઈ રયો છે, તો મારગમાં જ એની હારે સમાધાન કરવાની કોશિશ કરી લે, જો તુ એનો ઉકેલ નય લીયાવે તો તારે ન્યાયધીશ પાહે કોરાટે જાવું પડશે, અને ઈ તને અધિકારીઓને હોપે અને સિપાયો તને જેલખાનામાં નાખી દેહે.
અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.
કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.