Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:18 - કોલી નવો કરાર

18 કેમ કે હું તમને હાસુ કવ છું કે, આભ અને પૃથ્વી જાતી રેય ન્યા હુધી બધુય પુરૂ થયા વગર નિયમમાંથી એક કાનો કા એક બિંદુ જાતું રેહે નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:18
82 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે.


જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.


હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”


હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.


કેમ કે હું તમને હાસુ કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને ન્યાયીઓ જોવા માગતા હતાં, પણ ઈ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માંગતા હતાં, પણ હાંભળ્યું નય.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”


હું તમને હાસુ કવ છું કે, જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો; ઈ સ્વર્ગમાં બંધાહે, જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં છોડાહે.


અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય.


તઈ ઈસુએ પોતાના ચેલાને કીધુ કે, “હું તમને હાસુ કવ છું, કે રૂપીયાવાળાઓને સ્વર્ગના રાજ્યમાં જાવું બોવ જ અઘરું થાહે.”


ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.


ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.


ઈ બેમાંથી કોણે બાપની ઈચ્છા પરમાણે કરયુ? તેઓ એને કેય ઈ પેલા ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, દાણીઓ અને વેશ્યાઓ તમારી આગળ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાયશે.


હું તમને હાસુ કવ છું કે, આ બધી હત્યાઓની સજા તમારી પેઢી ઉપર આયશે.


તઈ ઈસુએ ચેલાઓને કીધું કે, “શું તમને આ બધુય નથી દેખાતું? હું તમને હાસુ કવ છું કે, એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. આ બધુય નાશ કરવામાં આયશે.”


હું તમને હાસુ કવ છું કે, ઈ એને પોતાની બધી માલમિલકતનો કારભારી ઠરાયશે.


પણ એણે તેઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, હું તમને ઓળખતો નથી.”


તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”


તઈ હું જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ બોવ નાનામાંથી નાના એકને તમે કાય કરયુ નય ઈ હાટુ તમે મને પણ કરયુ નય.”


હું તમને હાસુ કવ છું કે, જઈ તમે જેલખાનામાં જાવ તો જ્યાં હુંધી તમે તમારા ફરીયાદીને બાકીના એકે-એક રૂપીયો નય સુકવી દયો, ન્યા હુધી તમે જેલખાનામાંથી બારે નીકળી નય હકો.


જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.


હું તમને હાસુ કવ છું કે, જે કોય પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય, ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકશે નય.”


ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જે કોય મારા ચેલા બનવા હાટુ અને હારા હમાસાર બીજાને હંભળાવવા હાટુ પોતાના ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ બાળકો અને ખેતરો, મુકી દીધા છે,


હું તમને હાસુ કવ છું કે, જો કોય આ ડુંઘરાને કેય કે, “ઉખડી જા, અને દરીયામાં જયને પડ, અને પોતાના હ્રદયમાં શંકા કરતો નય કે, એવુ થાહે, પણ વિશ્વાસ કરો કે, જે એણે માગ્યું છે પરમેશ્વર એને આપશે, તઈ પરમેશ્વર એની હાટુ આ કરી દેહે.


તઈ એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે મંદિરની દાનપેટીમાં આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે;


હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે.


અને જઈ તેઓ બેહીને ખાતા હતાં, તો ઈસુએ કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક, જે મારી હારે ખાય છે, મને પકડવા હાટુ મારા વેરીની મદદ કરે.”


હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું પરમેશ્વરનાં રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”


ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”


હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરયુ છે, ઈ એની યાદગીરી રીતે કેવામાં આયશે.”


હું તમને હાસુ કવ છું કે, “આ વાતો ઉપર ધ્યાન આપો લોકો ઘણાય પરકારના પાપો કરે અને પરમેશ્વરની વિરુધ નિંદા કરે તો પણ ઈ તેઓને માફ કરી હકે છે.


“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


એણે પોતાની અંદર મોટો નિહાકો નાખીને તેઓને કીધું કે, “તમારે એક સમત્કારી નિશાની નો માંગવી જોયી. હું તમને પાકું કવ છું કે, આ પેઢીના લોકોને કાય જ નિશાની નય આપવામાં આવે.”


અને ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા પરમેશ્વરનાં રાજ્યને સામર્થ્ય હારે તમારી વસ્સે આવતાં જોહે.”


હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”


આ ન્યાંથી સાલું થાય છે જઈ હાબેલનાં ભાઈએ એને મારી નાખ્યો અને પવિત્ર જગ્યા, વેદી અને મંદિરની વસે ઝખાર્યા આગમભાખીયાને મારી નાખ્યો, ન્યા હુધી સાલું રયુ. અને હા આ વખતના લોકોની ઉપર બધીય હત્યાનો દોષ મુકવામાં આયશે.


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


જોવ તમારુ ઘર ઉજ્જડ મુકાયુ છે. કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોવો.


આભ અને પૃથ્વી જાતી રેહે પણ પરમેશ્વરનાં નિયમમાં લખેલુ એકેય બિંદુ જાતુ રેહે નય.


હું તમને હાસુ કવ છું કે, જે માણસો પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય ઈ એમા અંદર જય હકશે નય.”


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જેણે પરમેશ્વરનાં રાજ્ય હાટુ પોતાનું ઘર, પોતાની બાયડી, ભાઈઓ, માં બાપ, બાળકો મુકી દીધા છે.


પછી ઈસુએ એને કીધું કે, “હું હાસુ કવ છું કે, આજે તુ મારી હારે સ્વર્ગમા હોય!”


એણે કીધું કે, હું તમને પાકું કવ છું કે, કોય આગમભાખનારાને પોતાના દેશમાં માન આપતું નથી.


પછી ઈસુએ એને કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સ્વર્ગ ખુલેલુ અને પરમેશ્વરનાં સ્વર્ગદુતો ઉપર જાતા અને માણસના દીકરા ઉપર સડતો અને ઉતરતો જોહો.


હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય કમાડમાંથી થયને ઘેટાના વાડામાં ઘરતો નથી, પણ બીજી બાજુથી સડીને આવે છે, ઈ સોર કે લુટારો છે.


તઈ ઈસુએ તેઓને પાછુ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, ઘેટાઓનુ કમાડ હું છું,


હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.


ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું


હું તમને હાસે હાસુ કવ છું કે, તમે રોહો અને દુખી થાહો, પણ જગતના લોકો આનંદ કરશે, તમને દુખ થાહે, પણ તમારુ ઘણુય દુખ આનંદમાં બદલાય જાહે.


ઈ દિવસે તમે મને કાક પૂછશો કે, હું તમને હાસે હાસુ કવ છું, જો તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો, ઈ તમને આપે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જઈ તુ જવાન હતો, તઈ પોતે તૈયાર થયને જ્યાં ઈચ્છા હોય ન્યા જાતો. પણ જઈ તુ ગવઢો થય જાય, તઈ તુ પોતાના હાથને ફેલાવય અને કોય બીજો તને તૈયાર કરશે, અને જ્યાં તુ નો જાવા માગે ન્યા ઈ તને લય જાહે.


હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.


ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો.


તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ રોટલી મુસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી પણ સ્વર્ગમાંથી જે હાસી રોટલી આવે છે ઈ મારો બાપ તમને આપે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, “જે વિશ્વાસ કરે છે, એને અનંતકાળનું જીવન છે.


તઈ ઈસુએ તેઓએ કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ખાવું નય એનુ લોહી પીવું નય, તો તમારામાં જીવન નથી.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય પાપ કરે છે, ઈ પાપનો ચાકર છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.”


ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”


પણ પરમેશ્વરનું વચન સદાય રેય છે. આ સંદેશો જે કાયમી છે મસીહ વિષે સંદેશો છે, જે અમે તમને જાહેર કરતાં હતાં.


પછી મે ધોળી રાજગાદી જોય જેની ઉપર પરમેશ્વર બેઠો હતો, પણ જ્યાં પરમેશ્વર બેઠો હતો, ન્યાંથી પૃથ્વી અને આભ પુરેપુરા ગાયબ થય ગયા અને પછી કોય એને જોય હકા નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ