પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.
ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.
“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.
તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.