Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 3:2 - કોલી નવો કરાર

2 “પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 3:2
61 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જાતા આ સંદેશો આપો કે, સ્વર્ગનું રાજ્ય પાહે આવી ગયુ છે.


તઈ ઈ નગરોમાં સમત્કારી કામ ઘણાય થયા હતા, તેઓએ પસ્તાવો નો કરયો ઈ હાટુ તેઓની ઉપર ઈ ખીજાવા લાગ્યો કે,


ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને, તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે.


એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.


ઈસુએ તેઓની આગળ એક બીજો દાખલો આપ્યો કે, સ્વર્ગનું રાજ્ય એવુ છે કે, જેણે પોતાના ખેતરમાં હારા બી વાવ્યા.


વળી ઈસુએ તેઓને બીજો દાખલો આપ્યો કે, “સ્વર્ગનું રાજ્ય રાયના બી જેવું છે. કોય માણસ જયને પોતાના ખેતરમાં એને વાવ્યું છે.


એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”


ફરી સ્વર્ગનું રાજ્ય માછલા પકડવાની મોટી જાળ જેવું છે કે, જયને લોકો દરિયામાં જાળ નાખીને હરેક જાતની માછલીઓ એમા પકડાણી.


ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”


હું તારાથી આ કવ છું કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવા એક રાજાની જેમ છે કે, જેણે પોતાના દાસોની પાહે હિસાબ લેવા માંગ્યો.


સ્વર્ગનું રાજ્ય આ દાખલા જેવું છે: એક જમીનદાર જે પોતાની દ્રાક્ષાવાડી હાટુ મજુરો રોકવા હવારમાં વહેલો સોકમાં ગયો.


સ્વર્ગનું રાજ્ય આ દાખલા પરમાણે છે કે, એક રાજાએ પોતાના દીકરાના લગનનું જમણવાર ગોઠવ્યું.


ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.


ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.


જઈ હું પાછો આવય, તઈ સ્વર્ગનું રાજ્ય આ રીતનું હશે: એક માણસ લાંબી યાત્રામાં જાતી વખતે એણે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલ મિલકતમાંથી થોડીક તેઓને હોપીને કીધું કે, આ માલ મિલકતનો વેપાર કરીને વધારે માલ મિલકત મેળવો.


ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


ન્યાયપણાને લીધે જેઓને સતાવવામાં આવે છે તેઓ આશીર્વાદિત છે, કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઈ લોકોનું છે.


“આત્મામાં જેઓ ગરીબ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.”


તમારું રાજ્ય આવે, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં એમ જ પૃથ્વી ઉપર પુરી થાય.


પણ પેલા તમે પરમેશ્વરનાં રાજ્યને ગોતો, તો ઈ તમને હારી વસ્તુઓ પણ મળી જાહે.


“પરમેશ્વરનો નક્કી કરેલ વખત આવી ગયો છે, અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે. તમારા પાપીલા કામોનો પસ્તાવો કરો અને હારા હમાસાર ઉપર વિશ્વાસ કરો.”


જે સંદેશાવાહક વિષે યશાયા આગમભાખીયાએ લખુ હતું ઈ યોહાન હતો, લોકો જળદીક્ષા આપનાર કેતા હતા. અને યોહાન યર્દન નદી પાહે વગડામાં હતો, અને એમ કેતો કે, તમારા પાપનો પસ્તાવો કરો તો પરમેશ્વર તમને માફી આપશે અને હું તમને જળદીક્ષા આપય.


અને ચેલાઓએ નીકળીને એવો જાહેરાત કરી કે, પોતાના પાપીલા કામોનો પસ્તાવો કરો.


અને ઈ ઈઝરાયલ દેશના ઘણાય લોકોને પરભુ પરમેશ્વર પાહે પાછા ફેરવશે.


પણ જો હું, પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.


હું તમને કવ છું કે ના; તેઓ નોતા, પણ જો તમે બધાય તમારા પાપોનો પસ્તાવો નો કરો, તો તમે પણ ઈ લોકોની જેમ જ નાશ પામશો.


તેઓ નોતા! પણ હું તમને કવ છું કે, જો તમે તમારા પાપોથી પસ્તાવો નય કરો, તો તમારા બધાયનો પણ ઈજ રીતે નાશ થાહે.”


હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”


હું તમને કવ છું કે, ઈજ પરમાણે નવ્વાણું ન્યાયીઓ જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે છે, એની લીધે સ્વર્ગમા આનંદ થાહે.


પણ રૂપીયાવાળા માણસે કીધું કે, “ના ઈબ્રાહિમ બાપ! જો કોય મરણ પામેલામાંથી તેઓની પાહે જાય, તો તેઓ પાપનો પસ્તાવો કરશે.”


એમ જ તમે પણ જઈ ઈ બધુય થાતા જોવ, તઈ તમારે જાણવું કે, પરમેશ્વરનાં રાજ્ય આવવાનો વખત પાહે છે.


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


તઈ ઈસુએ પોતાના ચેલાઓ બાજુ જોયને કીધુ કે, ઓ પરમેશ્વરથી મદદ મેળવનારા ગરીબ લોકો તમે આશીર્વાદિત છો, કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તમારુ છે.


અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરવા, અને માંદાઓને હાજા કરવા મોકલ્યા.


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


જુના વખતમાં પરમેશ્વરે લોકોની અજ્ઞાનતાની ઉપર ધ્યાન નથી દીધુ, પણ હવે પરમેશ્વર દરેક જગ્યાએ બધાય માણસોને પસ્તાવો કરીને પાપ કરવાનું છોડવાની આજ્ઞા દેય છે.


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.


પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.


ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.


કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.


કેમ કે, અમને શેતાનની તાકાતથી છોડાવીને પરમેશ્વર પોતાના વાલા દીકરાના રાજ્ય લય આવ્યો છે.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,


કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય.


મે એને એના પાપોથી પસ્તાવો કરવાનો મોકો આપ્યો, પણ ઈ છીનાળવા કરવાનું બંધ કરવા માગતી નથી.


યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ