15 પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.
પણ યોહાને એને રોકવા હાટુ આ કીધુ કે, “મારે તો તમારી પાહેથી જળદીક્ષા લેવી જોયી, તું શું મારી પાહે આવો છો?”
ઈ બેય પરમેશ્વરની આગળ ન્યાયી હતાં અને નિર્દોષ રીતે હાલતા હતાં અને પરભુની બધીય આજ્ઞાઓને પાળતા હતા.
કેમ કે, મે તમને નમુનો દેખાડયો છે, જેથી જેવું મે તમારી હારે કરયુ છે, તમે પણ એવુ જ કરતાં રયો.
જો તમે મારી આજ્ઞાને માનશો, તો મારા પ્રેમમાં જોડાયેલા રેહો, જેવો કે મે મારા બાપની આજ્ઞાને માની છે, અને એના પ્રેમમાં જોડાયેલો રવ છું
ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.
અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.”
કેમ કે, ઈસુની જેવા પ્રમુખ યાજકની આપડે જરૂર હતી, ઈ પવિત્ર, દોષ વગરના, પાપીઓથી નોખા છે, અને જેઓ સ્વર્ગમાંથી ઉસા કરવામાં આવ્યા છે.
જે કોય આ કેય છે કે, હું પરમેશ્વરમાં બનેલો રવ છું તો એને પણ પોતે જેમ ઈસુ મસીહ રેતા હતાં એમ જ રેવું જોયી.