Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:29 - કોલી નવો કરાર

29 હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું મારા બાપના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:29
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સુરજની જેમ અજવાળુ ફેલાયશે. જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.


તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.


તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું પરમેશ્વરનાં રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”


મે ઈ વાતો તમને ઈ હાટુ કીધું કે, જે આનંદ મારામાં છે ઈ તમારામા પણ પુરો થાય.


આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.


અને હવે હું તારી પાહે આવું છું, અને આ વાત હું જગતમાં રયને કવ છું જેથી હું મારી ખુશી તેઓમાં પુરી કરૂ.


બધાય લોકોને નય પણ એને સાક્ષીઓને જે પરમેશ્વરે પેલાથી પસંદ કરેલા હતાં કા તો આપડે, અને એણે મરણમાંથી પાછો જીવતા થયેલાની હારે ખાધું પીધું.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


1,44000 લોકો એક નવું ગીત ગાય રયા હતાં, જઈ ઈ રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ, અને વડીલોની હામે ઉભા હતાં. ખાલી 1,44000 લોકો, જેને ઘેટાના બસ્સાએ પૃથ્વીના લોકોની વસ્સેથી છોડાવ્યા હતાં, ઈ ગીતને શીખી હકતા હતાં. કોય બીજા ઈ ગીતને શીખી હકતા નોતા.


કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ