7 કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે.
“ફરીથી એકવાર” આ અરથ સોખ્ખું દેખાડે છે કે, આખા જગતની બધીય વસ્તુઓને ધરુજાવામાં આયશે અને નાશ કરવામાં આયશે; જેથી જે વસ્તુઓ હલાવવામાં નય આવે, તેઓ કાયમ હાટુ બનેલી રેહે.
જઈ ઘેટાના બસ્સાએ ત્રીજી મુદ્રા ખોલી, તો મે ત્રીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું કે, “આવો.” અને તઈ મે જોયું કે, એક કાળો ઘોડો બારે નીકળો, એની ઉપર બેઠેલાના હાથમાં એક ત્રાજવાની જોડ હતી.
મે ઈ સ્યાર જીવતા પ્રાણીઓની વસેથી કોય માણસના અવાજ જેવું હાંભળ્યું, ભવિષ્યમાં પૃથ્વી ઉપર દુકાળ થાહે ઈ હાટુ “એક દીનારનાં એક કિલો ઘઉં અને એક દીનારનાં ત્રણ કિલો જવ હશે, પણ જૈતુન તેલ અને દ્રાક્ષારસને નુકશાન નો થાય.”
તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા.