ઓ આંધળા ફરોશી ટોળાના લોકો, તમારૂ વાસણ તમે અંદરથી સાફ કરો એટલે કે, તમારા મનમાં લોભ અને લાલસને આઘા કર, તઈ ઈ વાસણ બારેથી સાફ થય જાય છે એમ અંદરથી હોતન સાફ થય જાય છે, એમ તમે અંદર ને બારેથી હોતન ન્યાયી બની હકશો અને તેઓની જેવું કરી હકશો.
હું ફરીથી તમને સેતવણી આપું છું કે, જો માણસ ઈ આશાથી સુન્નત કરાવે છે કે, પરમેશ્વરની નજરમાં હાસો ઠરી હકય, તો એને ઈ બધુય કરવુ જોયી જે મુસાનું નિયમશાસ્ત્ર કેય છે.
પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો.