Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 2:4 - કોલી નવો કરાર

4 અને એણે બધાય લોકોના મુખ્ય યાજકે અને યહુદી નિયમના શિક્ષકોને ભેગા કરીને બધાયને પુછયું, “મસીહના જનમની જગ્યાની વિષે આગમભાખીયાઓ શું કેય છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 2:4
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”


જઈ રાજા હેરોદે ઈ હાંભળ્યું કે, લોકો આવું પૂછી રયા છે, તઈ ઈ બોવ જ ગભરાય ગયો અને યરુશાલેમના ઘણાય લોકો પણ ગભરાય ગયા.


તેઓએ એને કીધુ કે, “મસીહનો જનમ આ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરમાં થાહે કેમ કે, જે પરમેશ્વરે કીધું હતું, એના વિષે આગમભાખીયાઓએ બોવ પેલા લખુ હતું.”


પણ જે સમત્કારો એણે કરયા અને જે બાળકો મંદિરમાં મોટા અવાજે દાઉદના દીકરાને હોસાન્‍ના કેતા હતા, તેઓને જઈ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ જોયા તઈ તેઓ બોવ ગુસ્સે થયાં.


પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”


તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.


ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.


જઈ વેલી હવાર થય તઈ બધાય મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા હાટુ એની વિરુધ કાવતરું કરયુ.


કેમ કે, ઈસુ યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.


અને ઈસુએ એના ચેલાઓને શિખવાડતા કીધુ કે, હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.


યહુદી નિયમના શિક્ષકો અને મુખ્ય યાજકોએ ઈજ ઘડીએ ઈસુને પકડવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, ઈ એવુ હમજા કે, એણે આ દાખલો આપણને કીધો છે.


અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ન્યા ઉભા હતાં, તેઓ ઈસુની ઉપર આરોપ લગાડતા હતા.


તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો.


ઈસુએ એને જવાબ દીધો કે, તુ ઈઝરાયલ દેશમાં મહાન ગુરુ છે, અને હજી હુધી તુ આ નથી હંમજી રયો કે, હું શું કય રયો છું?


જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, લોકોમા ઈસુના વિષે આવી રીતે ઘુસપુસ વાતુ થય રય છે, ઈ હાટુ મુખ્ય યાજકને અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને પકડવા હાટુ મંદિરના સિપાયોને મોકલ્યા.


તઈ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એક બાયને લયને આવ્યા, આ બાય છીનાળવા કરતાં પકડાય ગય. અને એને બધાય લોકોની હામે ઉભી કરી દીધી.


તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?”


બીજા દિવસે એના આગેવાન, વડીલો અને યહુદી નિયમના શિક્ષકો યરુશાલેમ શહેરમાં એક જગ્યાએ ભેગા થયા.


તેઓએ સ્તેફનના વિરોધમાં લોકોને વડીલો અને યહુદી નિયમના શિક્ષકોને સડાવ્યા, અને એણે આવીને સ્તેફનને પકડી લીધો અને મોટી સભાની હામે લય ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ