17 આ ઈ હાટુ થયુ કે, જેથી શાસ્ત્રમાં યર્મિયા આગમભાખીયા દ્વારા પરમેશ્વરે જે કીધુ હતું, ઈ પુરૂ થાય.
તેઓ હેરોદ રાજાનું મોત થાય ન્યા હુધી મિસર દેશમાં જ રે ઈ હાટુ, પરમેશ્વરે આગમભાખીયો હોશીયા દ્વારા બોવ પેલા કીધુ હતું, ઈ પુરૂ થયુ કે, “મિસર દેશમાંથી મે મારા દીકરાને બોલાવ્યો છે.”
હેરોદ રાજાએ જઈ ઈ જાણું કે, બુદ્ધીશાળી માણસોએ એને દગો આપ્યો છે. તઈ ઈ ખુબજ ગુસ્સે થયો, એણે સિપાયોને બેથલેહેમ અને એની આજુ બાજુના બધાય વિસ્તારમાં મોકલા, જે બે વરહ અને એનાથી નાની ઉમરના બાળકો હતા તેઓને બધાયને મારી નાખે. ઈ એણે બુદ્ધીશાળી માણસોએ પેલીવાર તારા જોયાના આધારે કરયુ.
“રામામાં રોવાનો અને મોટા હોગ કરવાનો અવાજ હંભળાણો,” રાહેલ પોતાના બાળકો હાટુ રોતીતી, અને દિલાસો આપવાનો નકાર કરયો હતો કેમ કે, તેઓ બધાય મરી ગયા હતા.
તઈ આગમભાખીયા યર્મિયાએ ઘણાય વખત પેલા કીધું હતું, ઈ વાત પુરી થય કે, તેઓએ સાંદીના ત્રીહ સિકકા લીધા, આ એની કિમંત છે, જેની કિંમત ઈઝરાયલ દેશના લોકો દ્વારા નક્કી કરવામાં આવી હતી.