11 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બધાયથી ઈ વાત પળાતી નથી, પણ પરમેશ્વર તરફથી જેઓને આ દાન આપવામાં આવ્યું છે, તેઓ જ એવું કરી હકે છે.
એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.
ચેલાઓએ ઈસુને કીધુ કે, “જો બાય વિષે માણસોનો એવો હાલ હોય તો પરણવું હારુ નથી.”
કેમ કે કેટલાક પાવૈયા છે કે, જેઓ પોતાની માંથી જ એવા જન્મેલાં છે કે, કેટલાક એવા છે કે, જેઓને માણસોએ પાવૈયા બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે, જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ પાવૈયા કરયા છે. જે અપનાવી હકે છે, ઈ આ વાત અપનાવે છે.”
ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.
પણ છીનાળવા નો થાય ઈ હાટુ દરેક માણસે અને બાયે લગન કરવા.
હું તમારી પોતાની ભલાય હાટુ કવ છું અને તમને મુશ્કેલીમાં મુકવા હાટુ નય, પણ ઈ હાટુ કે, જેમ લાયક છે, જેથી તમે એક મનના થયને પરભુની સેવામાં લાગેલા રયો.