Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 18:3 - કોલી નવો કરાર

3 અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 18:3
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.


તઈ એણે એક બાળકને એની પાહે બોલાવીને એને તેઓની વસમાં ઉભો રાખ્યો,


ઈ હાટુ જે કોય પોતાને આ બાળકના જેવું નમ્ર કરશે, ઈ જ સ્વર્ગના રાજ્યમાં મોટો છે.


ઈસુએ તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને રોકોમાં કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.”


તઈ ઈસુએ પોતાના ચેલાને કીધુ કે, “હું તમને હાસુ કવ છું, કે રૂપીયાવાળાઓને સ્વર્ગના રાજ્યમાં જાવું બોવ જ અઘરું થાહે.”


કેમ કે હું તમને હાસુ કવ છું કે, આભ અને પૃથ્વી જાતી રેય ન્યા હુધી બધુય પુરૂ થયા વગર નિયમમાંથી એક કાનો કા એક બિંદુ જાતું રેહે નય.


હું તમને જણાવું છું કે, તમારે યહુદી નિયમના શિક્ષકોને અને ફરોશી ટોળાના લોકોના નિયમ કરતાં, પરમેશ્વરને જેની જરૂર છે ઈ હાટુ કાક વધારે હારુ કરનારા થાવુ જોયી નકર તમે સ્વર્ગના રાજ્યમાં નય ઘરી હકો.


જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


જઈ તમે પ્રાર્થના કરતાં હોવ તઈ ઢોંગીઓ જેવા થાતા નય કેમ કે, તેઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં અને સોરામાં ઉભા રયને, ઈ હાટુ પ્રાર્થના કરવાનું તેઓને હારૂ લાગે છે, જેથી લોકો જોયને તેઓના વખાણ કરે. પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર લોકોના વખાણ દ્વારા મેળવી સુક્યા છે.


જેમ કે, “કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી. તેઓ હાંભળે તો છે પણ હમજી નથી હકતા, એવુ નો થાય કે તેઓ પછતાવો કરે, ને તેઓને પરમેશ્વરથી પાપોની માફી મળે.”


હાકડે કમાડથીજ અંદર ઘરો કેમ કે, પરમેશ્વરનાં રાજ્યમાં ઘરવું ખુબજ મુશ્કેલ છે, ઈ હાટુ હું તમને કવ છું કે, ઘણાય માણસો અંદર ઘરવાની કોશિશ કરશે, પણ તેઓ અંદર ઘરી હકશે નય.


મે પ્રાર્થના કરી કે, તુ તારો વિશ્વાસ ગુમાવતો નય, જઈ તમે મારી પાહે આવો તઈ તમારા ભાઈઓને વધારે મજબુત થાવામાં મદદ કરજો.


પછી ઈસુએ એને કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સ્વર્ગ ખુલેલુ અને પરમેશ્વરનાં સ્વર્ગદુતો ઉપર જાતા અને માણસના દીકરા ઉપર સડતો અને ઉતરતો જોહો.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”


કેમ કે, ઈ લોકોના મન જડ અને એના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ બંધ કરી છે, એવુ નો થાય કે ઈ કયારે આંખુથી જોય, અને કાનથી હાંભળે, અને મનથી હમજે, અને પાપી જીવનથી મારી બાજુ ફરે અને હું તેઓને હાજા કરૂ.”


ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


આ રીતે પરમેશ્વર તમારો ઈ જગ્યામાં માનપૂર્વક આદર કરશે જ્યાં ઈસુ મસીહ છે, જે આપડો પરભુ અને આપડો તારનાર છે, જે સદાય હાટુ લોકો ઉપર રાજ્ય કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ