ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”
એક દિવસ એક માણસ ઈસુ પાહે આવ્યો જે બોલી હક્તો નોતો કેમ કે, મેલી આત્માએ એને કાબુમાં કરી લીધો હતો. ઈસુએ મેલી આત્માને બારે કાઢી પછી ઈ માણસ બોલવા લાગ્યો, અને ઈ જોયને ટોળાના લોકો નવાય પામ્યા.