Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 11:5 - કોલી નવો કરાર

5 આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 11:5
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

માંદા લોકોને હાજા કરો; મરેલાને જીવતા કરો; કોઢિયાઓને શુદ્ધ કરો; અને મેલી આત્માઓને કાઢો. તમને મફતમાં મળ્યું છે અને તમે બીજાઓને મફત દયો.


તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, તમે જે કાય હાંભળો છો અને જોવો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે,


પછી ઈસુએ પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” અને એણે હાથ લાંબો કરયો, ઈ હાથ બીજા હાથની જેમ હાજો થય ગયો.


આંધળાઓ અને લંગડાઓ એની પાહે મંદિરમાં આવ્યા, અને ઈસુએ તેઓને હાજા કરયા.


“આત્મામાં જેઓ ગરીબ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.”


અને તેઓ જોતા થયાં પછી ઈસુએ તેઓને સખત સેતાવણી આપતા કીધુ કે, “જો, આ વાત કોય જાણે નય.”


અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”


જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.”


“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “મે તમને કય દીધુ, પણ તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા. જે કામ હું મારા બાપના અધિકારથી કરું છું, ઈજ મારી વિષે સાક્ષી દેય છે.


પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું”


જઈ પાસ્ખા તેવાર વખતે ઈ યરુશાલેમ શહેરમાં હતો, તઈ ઘણાયને જે સમત્કારો દેખાડતા હતાં, ઈ જોયને એની ઉપર વિશ્વાસ કરયો.


ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”


પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.


પછી એને કીધું કે, “જા, અને પોતાનુ મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે.” શિલોઆમનો અરથ ઈ છે કે મોકલેલો. એણે જયને ધોયુ, અને જોતો થયને પાછો આવ્યો.


હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ