Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 10:15 - કોલી નવો કરાર

15 હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 10:15
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે.


કેમ કે હું તમને હાસુ કવ છું કે, આભ અને પૃથ્વી જાતી રેય ન્યા હુધી બધુય પુરૂ થયા વગર નિયમમાંથી એક કાનો કા એક બિંદુ જાતું રેહે નય.


ન્યાયને દિવસે ઘણાય બધાય લોકો મને કેહે, હે પરભુ! હે પરભુ! અમે તારા નામથી આગમવાણી કરી હતી, તારા નામથી મેલી આત્માઓને કાઢી છે તારા નામથી ઘણાય બધા સમત્કાર કરયા હતા.


“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


જે મારો નકાર કર છે, અને મારી વાતોનો સ્વીકાર કરતો નથી એનો ન્યાય કરનારો એક જ છે, હા અને જે વચન મે કીધા છે, ઈજ છેલ્લા દિવસે એનો ન્યાય કરશે.


આ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા છે કે, હું જેઓએ મને આપ્યુ છે તેઓમાંથી એકયને પણ ખોવ નય, છેલ્લે દિવસે એને હું પાછો જીવતો કરય.


કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.


પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે તો અંધારામાં નથી કે, પરભુ ઈસુને પાછા આવવાના દિવસે તમારી ઉપર એક સોરની જેમ આવી પડશે.


જેમ કેટલાક કરે છે એમ આપણે ભેગા થાવાનું પડતું નો મુકી. એને બદલે, પરભુનો દિવસ નજીક આવતો જોયી એમ આપણે એકબીજાને વધુને વધુ પ્રોત્સાહન આપીએ.


પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.


એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે.


યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.


સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ