પરમેશ્વરે ઈબ્રાહિમની હારે વાયદો કરયો કે, ઈ એના ઘરના બધાય લોકોને વાયદાના રૂપમાં સુન્નત કરાય છે, એના પછી જઈ ઈસહાકનો જનમ થયો, તઈ આઠમા દિવસે એની સુન્નત કરી, અને ઈસહાકે પોતાના દીકરા યાકુબની સુન્નત કરી, અને યાકુબે પોતાના બાર દીકરાઓની સુન્નત કરી. જે આપડા બાપદાદા હતા.