પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”
જઈ એના બે ચેલાઓ યાકુબ અને યોહાને ઈ હાંભળુ તઈ તેઓએ કીધું કે, “પરભુ, શું તુ ઈચ્છે છે કે, અમે પરમેશ્વરને કેહુ કે, ઈ આ લોકોનો નાશ કરવા હાટુ સ્વર્ગથી નીસે આગ મોકલે?”
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.