પછી ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરનો આભાર માનીને તોડી, અને એણે ચેલાઓને આ કેતા આપી કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.
પણ જો હું પોતાનું નીવેદ આભાર દીધા પછી ખાવ છું (જે મૂર્તિઓને હાજર કરવામાં આવું છે) તો એની હાટુ મારી ઉપર ગુનો કેમ લગાડવામાં આવે છે, જેની હાટુ મેં પરમેશ્વર પ્રત્યે આભાર પરગટ કરયુ?
તઈ એણે રોટલી લીધી અને પરમેશ્વરનો આભાર માનીને તોડી અને કીધુ કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”