ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.
ઈ બોતેર લોકો જેઓને ઈસુએ નીમ્યા હતાં તેઓએ જયને જેમ એણે કીધું હતું એમ કરયુ. જઈ ઈ પાછા આવ્યા તઈ તેઓ બોવ રાજી હતા. તેઓએ કીધું કે, “પરભુ, અમે પણ તમારા અધિકારથી લોકોમાંથી મેલી આત્માઓને નીકળવાનો હુકમ કરયો અને તેઓએ પણ અમારુ માન્યું.”
તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.