તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.
પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.