ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તારા છોકરાને બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.
હું આ વાતની ના નો પડી હકુ કે, પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની કૃપાના કારણે આપણને બસાવ્યા કેમ કે, જો લોકો શાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરી હકે છે તો પછી મસીહને વધસ્થંભ ઉપર મરવાની કોય જરૂર નોતી.
પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.