અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
ઈ માણસોએ એની પાહે આવીને કીધું કે, “જળદીક્ષા દેનાર યોહાને તારી પાહે અમને પૂછવા મોકલા છે કે, શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?”
“મારા દીકરા પરભુના શિક્ષણનો નકાર નો કર, અને ઈ તને ઠપકો આપે તઈ નિરાશ નો થા. કેમ કે, પરભુ જેની ઉપર પ્રેમ રાખે છે, ઈ હરેકને કેળવે છે અને જેને ઈ દીકરા તરીકે અપનાવે છે; એને ઈ શિક્ષણ આપે છે.”