Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 7:13 - કોલી નવો કરાર

13 એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 7:13
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

“તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, ઈ હાટુ મને તેઓની ઉપર દયા આવે છે.


અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા.


પછી ઈ કોય એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. જઈ એણે પ્રાર્થના કરવાનું પૂરુ કરયુ, તઈ એના ચેલાઓમાંના એકે એને કીધું કે, “હે પરભુ, જેમ યોહાન જળદીક્ષા દેનારે એના ચેલાઓને પ્રાર્થના કરતાં શીખવ્યુ એવી રીતે અમને પણ શીખવાડ.”


પરભુએ એને કીધું કે, હે ઢોંગીઓ ફરોશી ટોળાના લોકો તમે થાળી અને વાટકાઓ બારથી સાફ કરો છો, પણ તમારા અંદર તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી ખરાબ વસ્તુઓ છે.


પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?


આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો?


ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”


પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.


પરભુ ઈસુએ કીધું કે, “આ અન્યાયી ન્યાયધીશે શું કીધું એના વિષે ધ્યાનથી વિસારો કે,


જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”


પછી ઈસુએ ફરીને પિતરની હામે જોયું, અને પિતરને ઈસુની કીધેલી વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યો અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.”


ઈ બાયુ અંદર ગયુ પણ તેઓએ પરભુ ઈસુની લાશને ભાળી નય.


તેઓએ કીધું કે, “પરભુ ખરેખર મોતમાંથી જીવતા ઉભા થયા છે, અને ઈ સિમોન પિતરને દેખાણા છે.”


જઈ શહેરના સીમાડા પાહે ઈ આવ્યો, તઈ તેઓએ જોયું કે, લોકો મરી ગયેલા માણસને બારે લય જાતા હતાં, અને ઈ એની માનો એકનો એક દીકરો હતો, અને ઈ રંડાયેલ હતી, શહેરના ઘણાય લોકો એની હારે હતા.


તઈ ઈ પાહે આવીને ઠાઠડીને અડયો; અને કાંધિયા ઉભા રયા, તઈ ઈસુએ કીધું કે, “હે જુવાન, હું તને કવ છું કે, ઊભો થય જા!”


તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?”


એની હાટુ બધાય રોતા અને વિલાપ કરતાં હતાં, પણ ઈસુએ તેઓને કીધુ કે, “રોવોમાં, કેમ કે ઈ મરી નથી પણ હુતી છે.”


આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.


જેથી બેનોએ એને ખબર મોકલી કે, પરભુ, જેની ઉપર તમે પ્રેમ રાખો છો, ઈ લાજરસ માંદો છે.


તેઓએ એને પુછયું કે, “બેન, તુ કેમ રોય છે?” એણે એને કીધું કે, “ઈ મારા પરભુના દેહને ઉપાડીને લય ગયા છે, અને મને ખબર નથી કે, એને ક્યા રાખ્યો છે.”


ઈસુએ એને કીધું કે, “બેન, તુ કેમ રોય છે? અને કોને ગોતી રય છો?” એણે એને માળી હમજીને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જો તુ ઈ દેહને ઉપાડીને લય ગયો હોય તો મને કેય કે, એને ક્યા રાખ્યું છે, અને હું એને લીયાવું.”


જઈ ઈસુને ખબર પડી કે, ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, ઈસુ યોહાન કરતાં ઘણાય ચેલાઓ બનાવે છે અને તેઓને જળદીક્ષા આપે છે.


તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી.


જે લોકો રોવે છે કા લોકો રાજી છે કા જે લોકો પોતાની હાટુ વસ્તુ વેસાતી લેય છે તેઓને આ બધી વસ્તુઓના વિષે વધારે સીંતા નો કરવી જોયી કેમ કે, આ બધીય વાતુંથી તમે પરભુની સેવા કરવાનું ભુલી જાહો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, જે મરી ગયા છે, એના વિષે તમે જાણો, એવુ નો થાય કે, તમે બીજા લોકોની જેમ દુખી થાવ, જેઓને આ આશા નથી કે, મરયા પછી પાછા જીવતા થય જાહે.


ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ