તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
પણ તમે જાણો કે, મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપ માફ કરવાનો હોતન અધિકાર છે. પછી ઈસુએ લકવાવાળા માણસને કીધુ કે, “હું તને કવ છું કે, ઉઠ અને તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.”