Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 5:1 - કોલી નવો કરાર

1 એક દિવસે જઈ ઈસુ ગેન્‍નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 5:1
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જ્યારથી યોહાન જળદીક્ષા આપનારે પરચાર કરવાનું શરુ કરયુ, ઈ વખતથી તે હજી લગી સ્વર્ગના રાજ્યમાં બળજબરી વધી રય છે, અને બળજબરી કરનારાઓ એની ઉપર હુમલો કરીને લય લેહે.


ઈસુ અને એના ચેલાઓ આગળ ઉતરીને ગન્‍નેસારેત પરદેશમાં આવ્યા.


ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.”


વળી ઈસુ ગાલીલના દરિયાના કાઠે પાછો શિક્ષણ આપવા લાગ્યો. એની પાહે ઘણાય લોકોની ગડદી ભેગી થય, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડીને બેઠો, અને લોકોની આખી ગડદી દરિયાના કાઠે ઉભી રય.


તઈ ઈસુ એની હારે ગયો, અને બધાય માણસો એની વાહે આવ્યા અને સ્યારેય બાજુથી ગડદી થાતી ગય.


પછી ઈસુ અને એના ચેલાઓ એક હોડીમાં ગાલીલના દરિયામાં હજી આગળ વધ્યા, તો તેઓ ગન્‍નેસારેત પરદેશના કાઠે પુગી ગયા. તઈ તેઓએ ન્યા હોડી બાંધી દીધી.


એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.


એણે તળાવને કાઠે પડેલી બે હોડી જોય અને ખારવા એમાંથી ઉતરીને માછલી પકડવાની જાળો ધોય રયા હતા.


એક દિવસ ઈ એના ચેલાઓ હારે હોડીમાં સડયો, તઈ એણે તેઓને કીધું કે, “હાલો, આપડે દરિયાના ઓલા કાઠે જાયી.” એણે હોડી હાક્વાની શરુ કરી.


તેઓ હાંકતા હતાં એટલામાં ઈસુ હુઈ ગયો; અને દરિયામાં મોટુ વાવાઝોડું થયુ, અને હોડીમાં પાણી ભરાય જાવા લાગ્યુ તેઓ મુસીબતમાં મુકાણા,


મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને ઈ ટોળું ઢોરા ઉપરથી દરિયામાં પડીને મરી ગયુ


તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.


ઈ બે યોહાનના ચેલાઓમાંથી જેઓ એની વાતો હાંભળીને ઈસુની વાહે ગયો હતો, એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો.


ઈ પછી ગાલીલનો દરિયો જે તિબેરિયસનો કેવાય છે એને ઓલે પાર ઈસુ ગયો.


જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ