37 સ્યારેય બાજુ બધીય જગ્યાએ એના નામની સરસા થાવા મંડી.
ઈ વાતની સરસા આખા દેશમાં ફેલાય ગય.
પણ તેઓએ બાર જાયને એણે આખા મલકમાં એના વખાણ ફેલાવી દીધા.
એની પછી ઈસુએ જે કરયુ હતું એના વિષે લોકોએ બીજાઓને કેવાનું સાલું રાખ્યું, અને જલ્દીથી આખાય ગાલીલ જિલ્લાના લોકોએ એના વિષે હાંભળી લીધું.
પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.
હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”
પછી ઈસુ પવિત્ર આત્માના પરાક્રમથી ભરેલો, ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો; અને એની સરસા આજુ બાજુના બધાય દેશોમાં ફેલાય ગય.