23 જઈ ઈસુ પોતે પરસાર કરવા લાગ્યો તઈ ઈ આશરે ત્રીસ વરહનો હતો. જેમ લોકો વિસારે છે કે, ઈસુ યુસફનો દીકરો હતો, અને યુસફ એલીનો દીકરો હતો;
ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો.
અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.
યિશાઈનો દીકરો ઈ દાઉદ રાજા અગાવ ઉરિયાની જે બાયડી હતી એનાથી દાઉદનો દીકરો થયેલો ઈ સુલેમાન,
શું ઈ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું યાકુબ અને સિમોન અને યહુદાએના ભાઈઓ નથી? તો આ માણસની પાહે આવું ક્યાંથી?
ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”
“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.
ઈ જોયને એના માં-બાપ સોકી ગયા, અને એની માંએ એને પુછયું કે, “દીકરા, તે અમારી હારે આવી રીતે કેમ કરયુ? જો હું અને તારો બાપ હેરાન થયને તને ગોતતા હતા.”
એલ્યાકીમ મલેયાનો, મલેયા મીન્નાનો, મીન્ના મત્તાથાનો, મત્તાથા નાથાનનો, નાથાન દાઉદનો,
પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”
ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”
તેઓએ કીધું કે, “યુસફનો દીકરો, ઈસુ જેના માં બાપને અમે ઓળખી છયી ઈ શું ઈજ નથી? તઈ ઈ હમણાં ઈ કેમ કેય છે કે, હું સ્વર્ગમાંથી ઉતરયો છું?”
પ્રિય થિયોફિલ, મારી પેલી સોપડીમા જે મે તમારી હાટુ લખી છે, મે ઈ ઘણીય વસ્તુની વિષે લખું હતું જે ઈસુએ કરી હતી અને શીખવાડી હતી, જ્યાં હુધી કે ઈ સ્વર્ગમા લય લેવામાં આવ્યો હતો.