Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 24:44 - કોલી નવો કરાર

44 પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 24:44
88 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે આ બધુય ઈ હાટુ થયુ કે, જે વચન પરમેશ્વરે આગમભાખીયા દ્વારા કીધું હતું, ઈ પુરૂ થાય.


ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”


પણ શાસ્ત્રવચનમાં લખ્યું છે કે, એમ જ બધીય વાતો થાવી જોયી, ઈ કેવી રીતે પુરી થાહે?”


પણ આગમભાખયાઓના વચનો પુરા થાય ઈ હાટુ આ બધુય થયુ છે, તઈ બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.


કેમ કે, ઈસુ પોતાના ચેલાઓની હારે વધારે વખત વિતાવવા અને તેઓને શીખવાડવા માગતો હતો અને ઈ તેઓને કેતો હતો કે, “જલદી કોય મને માણસના દીકરાને મારા વેરીઓના હાથમાં દગાથી હોપી દેવામાં આયશે, અને ઈ લોકો મને મારી નાખશે. પણ જઈ મને મારી નાખવામાં આયશે એના ત્રીજા દિવસે હું મોતમાંથી પાછો જીવતો થય જાય.”


કેમ કે, ઈ દિવસ પરમેશ્વરનો વેર વાળવાનું હશે, જે શાસ્ત્રમા લખેલી બધીય વાતુ પુરી થય જાહે.


કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”


અને ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “શાસ્ત્રોમાં આ લખેલુ છે કે, મસીહને દુખ સહન કરવુ, અને ત્રીજા દિવસે મરણમાંથી પાછુ જીવતું થાવું,


અને ઈસુએ તેઓને કીધું કે, “હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.”


આ વચનો તમે ધ્યાનથી હાંભળો અને મનમા ઉતારવા દયો કેમ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપાયશે.”


અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.


તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


કેમ કે, જો તમે મુસા ઉપર વિશ્વાસ કરતાં હોત, તો મારી ઉપર પણ વિશ્વાસ કરત, કેમ કે એણે મારા વિષે લખ્યું છે.


પરમેશ્વરે ઈસુને મરેલામાંથી પાછો જીવતો કરીને, ઈ જ વાયદો આપડા દીકરાઓની હાટુ પુરો કરયો. જેમ ગીત શાસ્ત્રમાં લખ્યું છે કે, તુ મારો દીકરો છો, આજે જ હું તારો બાપ બની ગયો છું


ઈ હાટુ સેતીને રયો, ક્યાક એવુ નો થાય કે, જે આગમભાખીયાઓની સોપડીમા લખેલુ છે, ઈ તમારી ઉપર પણ આવી પડે.


કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.


પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.


આ ઈ જ મુસા છે જેણે ઈઝરાયલ દેશના લોકોને કીધું કે, “પરમેશ્વર તમારા ભાઈઓમાંથી મારી જેવો આગમભાખીયો તમારી હાટુ મોકલશે.”


કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.


મુસા તો પરમેશ્વરનાં ઘરના બધાય લોકોને ઈ કેવા હાટુ ચાકરની જેમ વિશ્વાસુ રેય કે, પરમેશ્વર રીતી-રિવાજો અને નિશાની જેમ વાતોનો અરથ આવનારા વખતમાં પરગટ કરશે.


આયા મેલ્ખીસેદેક શાલેમ શહેરનો રાજા અને બધાયથી વધારે પરમેશ્વરનો મુખ્ય યાજક હતો; જઈ ઈબ્રાહિમ રાજાઓને હરાવીને પાછો આવતો હતો તઈ એણે એને મળીને આશીર્વાદ આપ્યો.


આ વિધિઓ દ્વારા પવિત્ર આત્મા આપણને આ દેખાડે છે, કે જ્યાં હુધી આ પૃથ્વી ઉપર ભેગા કરવાવાળા માંડવાઓ અને એની વિધિયોનું પાલન કરવામાં આવે છે, ન્યા હુધી સ્વર્ગમાં પરમેશ્વરનો કરાર પવિત્ર જગ્યામાં જાવાનો રસ્તો હજી હુધી ખુલ્લો નથી.


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ