20 પણ પિલાતે ઈસુને છોડી દેવાની ઈચ્છાથી લોકોને પાછુ પુછયું.
જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.
ઈ બારાબાસ જેને શહેરમાં અને સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા, ઈ હાટુ એને જેલખાનામાં નાખ્યો હતો.
પણ લોકોએ રાડ પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવી દયો, વધસ્તંભે સડાવી દયો.”
ઈ હાટુ પિલાતે એને છોડી દેવાની કોશિશ કરી, પણ યહુદી લોકોએ રાડો પાડી પાડીને કીધું કે, “જો તુ એને છોડી દેય, તો તુ રોમી સમ્રાટનો મિત્ર નથી જે કોય પોતાની જાતને રાજા માનતો હોય, ઈ રોમી સમ્રાટનો દુશ્મન છે.”