19 ઈ બારાબાસ જેને શહેરમાં અને સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા, ઈ હાટુ એને જેલખાનામાં નાખ્યો હતો.
ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.
તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.”
અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
પણ પિલાતે ઈસુને છોડી દેવાની ઈચ્છાથી લોકોને પાછુ પુછયું.
પણ તેઓએ ફરીથી જોરથી કીધું કે, “ઈ યહુદીયા પરદેશના બધાય લોકોની વસ્સે શિક્ષણ આપીને તેઓને ઉશ્કેરે છે, એણે ગાલીલ જિલ્લામાં શરુઆત કરીને હવે આયા આવી ગયો છે.”
શું તુ મિસર દેશનો નથી, જે ઈ દિવસો પેલા સરકારની હામે બળવો કરીને સ્યાર હજાર હથિયાર બંધ બળવાખોરોને વગડામાં લય ગયો હતો?”
તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.