20 આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે.”
એણે તેઓને કીધુ કે, “આ દ્રાક્ષરસ મારું લોહી છે. મારું લોહી કેટલાય લોકો હાટુ બલિદાનની જેમ વહેડાવવામાં આયશે. આ ઈ કરારને સાબિત કરશે જે પરમેશ્વર પોતાના લોકો હારે બનેલું રેય છે.
આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે. તમે જેટલીવાર ઈ પીવ છો, એટલીવાર મારી યાદ હાટુ ઈ કરો.”
જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.
તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.
હાટુ જુના કરારના વખતે જે ભૂલો કરવામાં આવ્યા હતા, એના છુટકારા હાટુ પોતે બલિદાન આપે મોત આપે અને જેઓને ગમાડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસનું વચન મળે ઈ હાટુ ઈ નવા કરારના મધ્યસ્થી છે.