48 ઈ જોયને એના માં-બાપ સોકી ગયા, અને એની માંએ એને પુછયું કે, “દીકરા, તે અમારી હારે આવી રીતે કેમ કરયુ? જો હું અને તારો બાપ હેરાન થયને તને ગોતતા હતા.”
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
ઈસુએ એનામાં બાપને કીધું કે, “તમે કેમ મને ગોત્યો? શું તમે જાણતા નોતા કે, મારા બાપના ઘરે મારે હોવું જરૂરી છે?”
જઈ ઈસુ પોતે પરસાર કરવા લાગ્યો તઈ ઈ આશરે ત્રીસ વરહનો હતો. જેમ લોકો વિસારે છે કે, ઈસુ યુસફનો દીકરો હતો, અને યુસફ એલીનો દીકરો હતો;
પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”
ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”