36 જઈ ઈસુએ ઈ મારગે એની સવારી કરી, તઈ લોકો ઈસુની આગળ મારગો ઉપર પોતાના લુગડા પાથરતા હતા.
ગડદીમાના ઘણાય બધા લોકોએ એને માન આપવા હાટુ મારગ ઉપર પોતાના લુગડા પાથરીયા, બીજાઓએ ઝાડ ઉપરથી પાંદડા વાળી ડાળ્યું કાપીને મારગમાં પાથરી.
જેથી તેઓ ખોલકાને ઈસુ પાહે લીયાવ્યા, અને ચેલાઓએ પોતાના લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ એની ઉપર બેઠો.
જઈ ઈસુ ઈ જગ્યાના ઢાળ ઉપર પુગ્યા જ્યાંથી મારગ લગભગ જૈતુનના ડુંઘરાથી નીસેથી જાતો હતો, તઈ ચેલાઓનો આખોય ટોળો ઈ સમત્કારી કામોને કારણે જે તેઓએ જોયા હતાં, ઈ રાજી થયને અને જોર જોરથી રાડો પાડીને પરમેશ્વરની મહિમા કરતાં કેવા લાગ્યા: