29 ઈસુ બેથફાગે અને બેથાનિયા શહેરની પાહે, જૈતુનના ડુંગર પાહે પૂગ્યો, તઈ ઈસુએ બે ચેલાઓને એમ કયને મોકલ્યા કે,
તઈ ઈસુ તેઓને મૂકીને શહેર બાર બેથાનિયા ગામમાં જયને રાત રોકાણો.
હામેના ગામમાં જાવ, અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું બાંધેલુ જોહો, ઈ ખોલકા ઉપર કોય પણ ક્યારેય બેઠું નથી; એને છોડીને મારી પાહે લીયાવો.
જઈ ઈસુ ઈ જગ્યાના ઢાળ ઉપર પુગ્યા જ્યાંથી મારગ લગભગ જૈતુનના ડુંઘરાથી નીસેથી જાતો હતો, તઈ ચેલાઓનો આખોય ટોળો ઈ સમત્કારી કામોને કારણે જે તેઓએ જોયા હતાં, ઈ રાજી થયને અને જોર જોરથી રાડો પાડીને પરમેશ્વરની મહિમા કરતાં કેવા લાગ્યા:
અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.
તઈ ઈસુએ શહેર છોડયું, અને જૈતુન પહાડ ઉપર પૂગ્યો, અને ચેલાઓ એની વાહે ગયા.
પછી ઈસુ ચેલાઓને શહેર બારે બેથાનિયા નજીક બારે લય ગયો, અને પોતાના હાથ ઊંસા કરીને તેઓને આશીર્વાદ આપ્યા;
તઈ જૈતુન નામના ડુંઘરાથી યરુશાલેમ શહેરની પાહે, વિશ્રામવારના દિવસની યાત્રા જેટલે આઘા છે, ન્યાથી બે માણસો યરુશાલેમ શહેરમાં પાછા આવ્યા.