ઈસુએ એક વાર્તા દ્વારા જવાબ દીધો કે, એક માણસ યરુશાલેમ શહેરથી યરીખો શહેર બાજુ જાતો હતો, તઈ ઈ લુટારાઓના હાથમાં પડયો, અને તેઓએ એના લુગડા અને બધીય વસ્તુઓ જે એને પાહે હતી, ઈ આસકી લીધી, અને તેઓ એને મારીને અધમુઓ મુકીને વયા ગયા.
પછી ઈસુએ એના બાર ચેલાઓને એક બાજુ લય જયને કીધુ કે, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને પરમેશ્વરે જે કાય વાતુ માણસના દીકરાની વિષે આગમભાખીયાઓએ જે કીધુ હતું, ઈ બધુય પુરું થાહે.
ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.