27 હવે મારા દુશ્મનો જેઓ ઈચ્છતા નોતા કે હું તેઓનો રાજા થાવ, તેઓને પકડીને લીયાવો, અને મારી હામે મારી નાખો.
જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ.
પણ શહેરના માણસો એને ધિક્કારતા હતાં, જેથી ઈ માણસોએ કેટલાક સંદેશા કેનારાઓને એની પાછળ કેવડાવ્યુ કે, “અમે નથી ઈચ્છતા કે, આ માણસ અમારી ઉપર રાજ કરે.”
માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.”
કેમ કે, ઈ દિવસ પરમેશ્વરનો વેર વાળવાનું હશે, જે શાસ્ત્રમા લખેલી બધીય વાતુ પુરી થય જાહે.
કેટલાક લોકો તલવારથી મરી જાહે, અને બીજા માણસોને ગુલામ બનાવી લેવામાં આયશે, અને તેઓને બીજા પરદેશમા લય જવામાં આયશે, અને જ્યાં હુધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓનો વખત પુરો નય થાય, ન્યા હુંધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓથી પગ તળે છુંદી નાખશે.
ઈ વખતથી મસીહ એની રાહ જોવે છે કે, કયી પરમેશ્વર તેઓના વેરીઓને હરાવીને એના પગ નીસે મુકશે.